Friday, 24 October 2014

એમ.બી.એમાં પંદર પુસ્તકો સાથે પ્રેક્ટિકલ નોલેજ જરૃરી...

- વિદેશોમાં સ્ટડીની રહેલી તકોને લઈને સટુડન્ટસ માટે ફ્રી સેમિનાર


મેનેજમેન્ટમાં સ્ટડી કરવા ઈચ્છતા ઘણા સ્ટુડન્ટસ પોતાના મેનેજમેન્ટની સ્ટડીને લઈને ઘણા કન્ફ્યુઝ અનુભવતા હોય છે. મેનેજમેન્ટ સ્ટડી શું છે?, મેનેજમેન્ટમાં કેટલું પ્રેક્ટિકલ બનવું જોઈએ? સાથે વિદેશોમાં સિંગાપુર અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોની યુનિવર્સિટીમાં કેવા પ્રકારની તકો રહેલી છે વગેરેને લઈને સિંગાપુરની એક યુનિવર્સિટી દ્વારા અમદાવાદના સ્ટુડન્ટસ માટે એક ફ્રી સેમિનાર યોજાયો હતો. જેમાં ખાસ કરીને આ દેશોમાં એમ.બી.એની સ્ટડી માટે જવા માગતા સ્ટુડન્ટસ માટે  પુસ્તકીયા જ્ઞાાન ઉપરાંત કઈ રીતે પ્રેક્ટિકલ નોલેજ અપાય છે તેના વિશે પણ ચર્ચા થઈ હતી. જેમાં ગુજરાતના સોથી વધારે સ્ટુડન્ટસે આ સેમિનારમાં ભાગ લીધો હતો.
નડિયાદથી આ સેમિનાર અટેન કરવા માટે આવેલો સ્ટુડન્ટ માર્ગીન શાહ કહે છે કે, હું અત્યારે બીકોમ કરું છું અને મારે સ્કોલર્શીપના બેઝ પર સિંગાપુરની યુનિવર્સિટીમાં સ્ટડી માટે જઉં છું. વિદેશમાં રહેલી કેટલીક વર્લ્ડ વાઈડ યુનિવર્સિટીમાં સ્ટડી અને ઈન્ટર્નશીપ કરવાથી આપણી જોબ સિક્યોર થઈ જાય છે. તેથી અમારા જેવા સ્ટુડન્ટસ વિદેશાની આ પ્રકારની યુનિવર્સિટીઓમાં સ્ટડી કરવું વધારે પસંદ કરે છે. સાથે આ સેમિનારમાં જુદી-જુદી જગ્યાએથી આવેલા સ્ટુડન્ટસ પાસેથી એમ.બી.એનું પ્રેક્ટિકલ નોલેજ પણ મળી ગયું હતું.
તો આ સેમિનારની માહિતી આપતા સુમન સિબીયન કહે છે કે, ઘણા એવા સ્ટુડન્ટસ હોય છે જેઓ વિદેશમાં સ્ટડી કરવા માગે છે. પરંતુ તેમને વિદેશોની ઘણી યુનિવર્સિટીની સ્ટુડનટસ સ્કોલર્શીપ, મેનેજમેન્ટના વિવિધ ફિલ્ડનું નોલેજ સ્ટુડન્ટસ મેળવે તે પણ જરૃરી છે.

0 comments:

Post a Comment

GIVE A COMMENT