Saturday, 9 April 2016

ફિલ્મના ડિરેક્ટરે આપ્યો પહેલીવાર જવાબ. કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?





મુંબઈઃ કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? આ જવાબ પહેલીવાર ફિલ્મ ડિરેક્ટર એસ એસ રાજામૌલીએ આપ્યો છે. 63માં નેશનલ એવોર્ડ માટે બેસ્ટ ફિલ્મ બનનારી આ ફિલ્મનો બીજો ભાગ આવતા વર્ષે રીલિઝ થશે. ધર્મા પ્રોડક્શને જાહેર કરેલાં વીડિયોમાં ડિરેક્ટરે ફિલ્મને લઈને વાતચીત કરી છે. રાજામૌલીએ કહ્યું હતું કે તેમણે કટપ્પાને બાહુબલીને મારવાનું કહ્યું હતું. 

14 એપ્રિલ, 2017માં મળશે અસલી જવાબઃ
- 14 એપ્રિલ, 2017ના રોજ ફિલ્મનો બીજો ભાગ 'બાહુબલીઃ ધ કન્ક્લૂઝન' રીલિઝ થશે.
- ફિલ્મનો પહેલો ભાગ ગયા વર્ષે 10 જુલાઈના રોજ રીલિઝ થયો હતો. આ ફિલ્મે 600 કરોડની કમાણી કરી હતી. 

સિક્વલનું શૂટિંગ ટૂંક સમયમાં જ થશે પૂર્ણઃ
- હાલમાં સિક્વલનું શૂટિંગ ચાલી રહ્યું છે. જુલાઈમાં આ શૂટિંગ પૂર્ણ થશે.
- ત્યારબાદ વિઝ્યુઅલ ઈફેક્ટ્સ પર કામ કરવામાં આવશે.

ચર્ચામાં રહી હતી 'બાહુબલી':
- ફિલ્મના પહેલાં ભાગમાં દર્શકોની વચ્ચે એક સવાલ હતો કે આખરે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો. દરેક લોકો આ સવાલનો જવાબ જાણવા માંગે છે.
- 2017માં આ સવાલનો જવાબ મળશે.

અઝહર ફિલ્મમાં ઈમરાન હાશ્મીનો બે એક્ટ્રેસ સાથે રોમાન્સ




મુંબઈ: બાલાજી મોશન પિક્ચર્સની અપકમીંગ ફિલ્મ અઝહરનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. લોન્ચિંગ ઈવેન્ટમાં ઈમરાન હાશ્મી, પ્રાચી દેસાઈ, નરગીસ ફખ્રી, લારા દત્તા, એકતા કપૂર સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યાં હતા. તો જેમના જીવન પર આધારિત ફિલ્મ છે તેવા મોહમ્મદ અઝહરૂદ્દીન પણ લોન્ચિંગ ઈવેન્ટમાં ઉપસ્થિત રહ્યાં હતા. ફિલ્મ અઝહર 13 મેએ ફિલ્મ રીલિઝ થશે. અગાઉ ફિલ્મનુ પોસ્ટર રજૂ કરાયુ હતુ.
લોન્ચિંગ ઈવેન્ટ
ઈમરાન હાસ્મી સ્ટારર અને ટોની ડિસુઝાના નિર્દેશન હેઠળ તૈયાર થયેલી ફિલ્મ અઝહરનું ટ્રેલર લોન્ચ થઈ ગયુ છે. આ ફિલ્મ ભારતના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરૂદ્દીનના જીવનને આધરિત છે. ફિલ્મમાં ઈમરાન હાશ્મી અઝહરૂદ્દીનને મોટા પડદા પર રજૂ કરશે. ફિલ્મમાં ઈમારાન હાશ્મી સાથે ગુજરાતી અભિનેત્રી પ્રાચી દેસાઈ અને નરગીસ ફખ્રી, હ્યુમા ખુરેશી, લારા દત્તા, અને બીગ બોસના સ્પર્ધક ગૌતમ ગુલાટી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
બંને પત્નીને રજૂ કરાશે
રીયલ લાઈફમાં મોહમ્મદ અઝહરૂદ્દીનને બે પત્ની હોઈ છે ત્યારે રીલ લાઈફમાં પણ મોહમ્મદ અઝહરૂદ્દીનની બંને પત્નીને દર્શાવવામાં આવી છે. પ્રથમ પત્ની નૌરીનના રોલમાં પ્રાંચી દેસાઈ છે તો બીજી પત્ની સંગીતા બિજલાનીના રોલમાં નરગીસ ફખ્રી હશે, તો ફિલ્મમાં લારા દત્તા અને હ્યુમા ખુરેશી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ટોની ડિસુજાની ડિરેક્શનની ફિલ્મ અઝહર 13 મેના રોજ રીલિઝ થશે.




'ફેન'ની સ્ટોરી ચોરવા બદલ શાહરૂખ અને યશરાજ ફિલ્મ્સ સામે કેસ






મુંબઈઃ શાહરૂખ ખાનની આગામી ફિલ્મ 'ફેન' રીલિઝને હવે માત્ર એક સપ્તાહનો જ સમય રહ્યો છે. પરંતુ હાલ આ ફિલ્મના મેકિંગ સાથે સંકળાયેલા લોકો માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. ફિલ્મ મેકર મહેશ ડોઈજોડેએ યશરાજ ફિલ્મ્સની આ ફિલ્મ પર સ્ટે મુકવા માટે શાહરૂખ અને મેકર્સ સામે ફરિયાદ કરી 25 કરોડ રૂપિયાની માગ કરી છે. મહેશે 1997માં યશ ચોપરા અને શાહરૂખ ખાન સાથે ફિલ્મ બનાવવાની આશાથી એક સ્ટોરી(ફેન સાથે મળતી આવે છે) રજીસ્ટર કરાવી હતી.
1997માં યશજીને કરી હતી નેરેટ
આ અંગે વિસ્તાર પૂર્વક વાત કરતા 'કહીં હૈ મેરા પ્યાર'(2014)ના ડિરેક્ટર મહેશે જણાવ્યું કે,''મેં આ સ્ટોરી 1997માં યશ ચોપરા જ્યારે 'દિલ તો પાગલ હૈ'નું શૂટિંગ કરી રહ્યા હત્યા ત્યારે તેની સામે નેરેટ કરી હતી. હું તેમને સેટ પર મળ્યો ત્યારે તેઓ 'લે ગયી લે ગયી'નું શૂટિંગ કરી રહ્યા હતા. તેને આ કોન્સેપ્ટ ગમી ગયો હતો અને આ માટે તેમણે મારી પીઠ પણ થાબડી હતી. મેં આ સ્ક્રિપ્ટ અભિનેતા નામથી ફિલ્મ રાઈટર્સ એસોસિયેશનમાં રજીસ્ટર કરાવી હતી.  ''
શાહરૂખને 1998માં કરી હતી નેરેટ
શાહરૂખ સાથેનું નેરેશન યાદ કરતા તેમણે વધુમાં ઉમેર્યું કે,''હું 1998માં 'ચાઈનાગેટ'ની પ્રિમિયર પાર્ટીમાં શાહરૂખને મળ્યો હતો. તેને પણ સ્ક્રિપ્ટ ગમી હતી, ત્યાર બાદ યશજીએ વધુ ચર્ચા કરવા મને આદિત્ય ચોપરા સાથે મળાવ્યો હતો. જોકે આ વાત આગળ વધી નહીં અને અચાનક જ એક દિવસ મેં 'ફેન'નું ટ્રેલર જોયું અને હું ખૂબ નારાજ થઈ ગયો. યશજી ચાલ્યા ગયા એટલે જ સ્તો આ બધું થઈ રહ્યું છે. જો આજે યશજી હયાત હોત તો આ બધું બન્યું ન હોત. હું યશજી સાથે ફિલ્મ કો-પ્રોડ્યુસ કરવા માગતો હતો, અને જો આજે તેઓ હોત તો ફિલ્મ મારી સાથે બની હોત. ''
રાઈટર, ડિરેક્ટર, શાહરૂખ અને યશરાજ ફિલ્મ્સ સામે કેસ
મહેશે પેનલ્ટી પેટે 25 કરોડ રૂપિયાની માગ કરવા સાથે યશરાજ ફિલ્મ્સ, આદિત્ય ચોપરા, હબીબ ફૈઝલ(ફેનના રાઈટર), શાહરૂખ ખાન, મનીષ શર્મા(ફેનના ડિરેક્ટર) સામે કેસ કર્યો છે. તે આગળ કહે છે,''મેં અભિનેતા પર બે વર્ષ કામ કર્યું છે, મેં લોકેશન્સ પણ શોધ્યા છે. મારા મિત્રો ટ્રેલરના કન્ટેન્ટ્સ અને 'ફેન' અંગે જાણી આશ્ચર્યમાં પડી ગયા હતા. આથી મેં 'ફેન'નું ટ્રેલર જોયું હતું અને 5 એપ્રિલના રોજ ફરિયાદ કરી. મારી પાસે ટીમ સામે અનેક પુરાવાઓ છે. હું 2005માં ફિક્કી(FICCI)ના એક કાર્યક્રમમાં મળ્યો હતો, જ્યાં પ્રોજેક્ટ અંગે વાતચીત કરી હતી. મારી પાસે પુરાવા તરીકે આ મીટિંગની વિડીયો ક્લિપ પણ છે. ''
શાહરૂખે કોમેડી શોમાં યશજીએ તેને સ્ટોરી નેરેટ કરી હોવાનો કર્યો ખુલાસો
''તેમજ એક ટીવી કોમેડી શોમાં શાહરૂખે ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, 10 વર્ષ પહેલા યશજીએ તેને આ સ્ટોરી નેરેટ કરી હતી. તેનો અર્થ એ કે તેમણે માત્ર મારા જ પ્રોજેક્ટ અંગે વાત કરી હતી. તેમજ એસઆરકે સામે સ્ટોરી નેરેટ કરી ત્યારે બીજા એક્ટર્સ પણ હાજર હતા. હું તે તમામ નામો કોર્ટમાં આપીશ. હું ચૂપ બેસવાનો નથી. મને વિશ્વાસ છે કે ન્યાય મળશે. ''
એસઆરકેના મિત્રએ કર્યા ફોન
આ કેસની સુનાવણી 11 એપ્રિલના રોજ થવાની છે. મહેશને એસઆરકે અને યશરાજ ફિલ્મ્સની ટીમ તરફથી મળેલા રિએક્શન અંગે પૂછવામાં આવતા કહ્યું કે,''સવારથી એસઆરકેના નિકટના મિત્રો તરફથી ત્રણવાર ફોન આવ્યા છે પણ મેં જવાબ આપ્યો નથી. મારે શા માટે જવાબ આપવો જોઈએ? તેઓ મને ચર્ચા માટે 'મન્નત'(શાહરૂખનું ઘર)પર બોલાવી શકે છે, પણ હું ત્યાં જવાના મૂડમાં નથી. જો શાહરૂખ ચર્ચા કરવા માગતો હોય તો તે મારા ઘરે આવી સીધો મારી સાથે વાત કરી શકે છે. ''


ફરાહ ખાને શીખવ્યો જેકી ચેનને bollywood સ્ટાઇલમાં ડાન્સ




જોધપુરઃ ઈન્ડો-ચાઈનીઝ ફિલ્મ 'કૂંગ ફૂ યોગા'માં જેકી ચેન બોલિવૂડ સ્ટાઈલમાં ડાન્સ કરતો જોવા મળશે. હાલમાં જ આ ફિલ્મના શૂટિંગની કેટલીક તસવીરો સામે આવી હતી, જેમાં જેકી ફિલ્મના અન્ય સ્ટાર્સ સાથે બોલિવૂડ સ્ટાઈલમાં ડાન્સ કરતો જોવા મળે છે. આ ગીતની કોરિયોગ્રાફી ફરાહ ખાને કરી છે.

ફરાહે કર્યાં જેકી ચેનનાં વખાણઃ
શૂટિંગ પછી ફરાહે જેકી ચેનનાં ડાન્સિંગ સ્ટાઈલ પર ટ્વિટ કરીને તેના વખાણ કર્યાં હતાં અને કહ્યું હતું કે તે તેનું નામ 'જેકી જેક્સન' રાખવા માંગે છે. આ પહેલાં પણ ફરાહે જેકી ચેન સાથેની કેટલીક ફની તસવીરો શૅર કરી હતી. જેમાં બંનેનું બોન્ડિંગ ખાસ જોવા મળ્યું હતું. 

ફિલ્મમાં જેકી ચેનની સાથે બોલિવૂડ એક્ટર સોનુસુદ, અમાયરા દસ્તુર તથા દિશા પટાની પણ છે. બેઈજિંગ, દુબઈ તથા આઈસલેન્ડ બાદ ફિલ્મનાં અંતનું શૂટિંગ જોધપુરમાં કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં રીલિઝ થશે.







મોદીનું ટાઈમ મેનેજમેન્ટ



નવી દિલ્હી: નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ 97 કલાકમાં જ ત્રણ દેશોની મુલાકાત કરીને ભારત પરત ફર્યા છે. જ્યારે આ પ્રમાણેના દેશની મુલાકાત કરવામાં ઓછામાં ઓછા 6 દિવસની જરૂર પડે છે. મોદીએ ટ્રાવેલિંગ દરમિયાન એ પ્રમાણેનું ટાઈમ મેનેજમેન્ટ કર્યું કે ઓફિસરો પણ આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા. જોકે, મોદીએ કોઈ શહેરની હોટલમાં રાત રહેવાની જગ્યાએ ફ્લાઈટમાં જ ઊંઘવાનું નક્કી કર્યું અને મોટા ભાગના કાર્યક્રમનું આયોજન દિવસનું રાખ્યું. આમ આ રીતે તેઓ ઓછા સમયમાં વધારે લોકોની મુલાકાત કરી શક્યા. 5 દિવસના પ્રવાસમાં મોદી 3 રાત એર ઈન્ડિયા વનમાં ઊંઘ્યા...
- 30 માર્ચથી 2 એપ્રિલ સુધી મોદીએ બેલ્જિયમ, યુએસ અને સાઉદી અરબની મુલાકાત લીધી હતી.
- 5 દિવસની મુલાકાતમાં તેમણે ટાઈમ બચાવવા દિલ્હીથી બ્રસેલ્સ, બ્રસેલ્સથી વોશિંગ્ટન અને વોંશિગ્ટનથી રિયાદ વચ્ચે એર ઈન્ડિયા વનમાં જ ટ્રાવેલ કર્યું હતું.
- આ દરમિયાન તેઓ માત્ર બે રાત જ વિદેશી હોટલમાં રોકાયા હતા. એક વોશિંગ્ટન અને બીજી રિયાદ.
- સરકારના સીનિયર ઓફિસરના જણાવ્યા પ્રમાણએ તેમના આ નિર્ણયના કારણે જ તેઓ યુએસ સહિત અન્ય બે દેશની મુલાકાત 97 કલાકમાં કરી શક્યા હતા.
- જો તેઓ પ્લેનમાં ઊંઘીને ટ્રાવેલિંગ કરવાનો નિર્ણય ન લેતા તો આ વિદેશ યાત્રામાં ઓછામાં ઓછા 6 દિવસ જોઈએ.
મન મોહન સિંહ કરતા કેટલું અલગ છે મોદીનુ ટ્રાવેલિંગ

- એક મીડિયા રિપોર્ટ પ્રમાણે મનમોહન સિંહ કોઈ પણ સમિટમાં સામેલ થવા માટે માત્ર એક જ દેશની યાત્રા કરતા અને તેમાં પણ રાતનું ટ્રાવેલિંગ ખૂબ ઓછું કરતાં.
- જ્યારે મોદીએ તેમના ઓફિસરોને કહ્યું છે કે, તેમનું મોટા ભાગનું ટ્રાવેલિંગ રાતનું જ રાખે જેથી દિવસે વધુમાં વધુ મીટિંગ કરી શકાય અને હોટલમાં સ્ટે કરીને ખોટો સમય ન બગડે.
- મોદી રાત્રે ટ્રાવેલિંગ દરમિયાન પણ ઊંઘવાની જગ્યાએ ઓફિસરો સાથે બ્રીફિંગ કરતા હતા.
- ઓફિસરોનું કહેવું છે કે, આ કારણોથી યુપીએની સરખામણીએ એનડીએ સરકારના પીએમની વિદેશ યાત્રા ઓછી થઈ છે.
નક્કી કરેલા સમયે બ્રસેલ્સ પહોંચ્યા મોદી

- મોદીએ 30 માર્ચે બ્રસેલ્સ માટે 9 કલાક ટ્રાવેલિંગ કર્યું. સવારે 6 વાગે બ્રસેલ્સ પહોંચ્યા.
- પહેલાં અહીં એક નાઈટ સ્ટે અને 31 માર્ચે ભારતીયોને સભા સંબોધવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
- 31 તારીખે બ્રસેલ્સમાં NRIsનો વર્કિંગ ડે હતો અને તેઓ નહોતા ઈચ્છતા કે તેમને સાંભળવા માટે લોકો રજા રાખે,
- 1 એપ્રિલે સાંજે 5 વાગે ન્યૂક્લિયર સમિટ પુરી થઈ અને સાંજે સાત વાગે પીએમ એરપોર્ટ પહોંચીને રિયાદ જવા નીકળી ગયા હતા.
- મોદીએ ફરી 12 કલાક ફ્લાઈટમાં ઊંઘ લીધી અને 2 એપ્રિલે બપોરે રિયાદ પહોંચી ગયા. અહીં નાઈટ સ્ટે કર્યો અને 3જી એપ્રિલે રિયાદની મીટિંગ્સમાં સામેલ થયા.
- આજ દિવસે સાંજે સાત વાગે તેઓ દિલ્હી આવવા માટે નીકળી ગયા. તે પછીના દિવસે 7 એનસીઆરમાં તેમની મીટિંગ શેડ્યુલ ફિક્સ હતો.
મોદી VS મનમોહન
# નરેન્દ્ર મોદી
- બે વર્ષમાં વિદેશોમાં 95 દિવસ પસાર કર્યા.
- 20 ટ્રીપમાં 40 દેશોની મુલાકાત કરી.
# મનમોહન

- બે વર્ષમાં વિદેશમાં 72 દિવસ પસાર કર્યા.
- 32 ટ્રીપમાં 42 દેશની મુલાકાત કરી.
- યુપીએ-1: 15 ટ્રીપ, 18 દેશ
- યુપીએ-2: 17 ટ્રીપ 24 દેશ

IPL-9: ધોની અને રોહિત શર્મા વચ્ચે થશે ટક્કર









સ્પોર્ટ્સ ડેસ્કઃ IPL-9 ની ઑપનિંગ મેચ વર્ષ 2015ની વિજેતા મુંબઈ ઈન્ડિયન્સ અને ટુર્નામેન્ટમાં પ્રથમ વખત ભાગ લઈ રહેલી પુણે સુપરજાયન્ટસ વચ્ચે રમાશે. મેચ મુંબઈનાં વાનખેડે સ્ટેડિયમમાં સાંજે 7: 30 કલાકે રમાશે. મુંબઈ ઈન્ડિયન્સનાં કેપ્ટન રોહિત શર્મા છે તો સામે રાઈઝિંગ પૂણે સુપરજાયન્ટસનું સુકાન સંભાળી રહેલા વર્લ્ડનાં બેસ્ટ કપ્તાન મહેન્દ્રસિંહ ધોની છે. જાણીતી હસ્તીઓની ઉપસ્થિતિમાં બન્ને ટીમો વચ્ચેનો જોરદાર મુકાબલો જોવા મળશે.
મુંબઈ માટેની સૌથી મોટી કમજોરી
-  મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માની કપ્તાનીમાં 2013 અને 2015માં કપ જીત્યો છે. એટલે મુંબઈની ટીમ આ વખતે કપને બચાવવા માટે મેદાને ઉતરશે
-  રોહિત માટેની સૌથી મોટી કમજોરી લસિથ મલિંગાની ફિટનેશ
-  તે ઈજાને કારણે પ્રથમ 5 મેચમાં બહાર રહેશે
- જોકે મુંબઈ પાસે સાઉડી, બુમરાહ, કોરી એન્ડરસન જેવા ફાસ્ટ બોલર્સ પણ છે
- બીજી તરફ મુંબઈ બેટિંગમાં મજબૂત જણાઈ રહી છે. ટીમમાં પોલાર્ડ, સિમન્સ, રાયડુ અને પાર્થિવ સિવાય કપ્તાન રોહિત પોતે જ જબરજસ્ત બેટ્સમેન છે




.
પુણેની મજબુતી

- ધોની, કેવિન પીટરસન, ફાક ડુ પ્લેસિસ અને સ્ટીવન સ્મીથ, ફૉક ડૂ પ્લેસિસ જેવા દિગ્ગજ બેટ્સમેન તેમની સાથે છે.
- ધોનીનાં નજીકનાં ગણાતા આર. અશ્વિન સ્પિન બૉલિંગની જવાબદારી સંભાળશે
- મિશેલ માર્શ, અજીંક્ય રહાણે અને ઈશાંત શર્મા જેવા ખેલાડી પુણેની ટીમને મબજુતી પુરી પાડશે.
- ધોની CSKને 2010માં અને 2011માં ચેમ્પિયન બનાવી ચૂક્યો છે. હવે પુણેની ટીમ ઉપર દાવ લગાવશે.
બન્ને ટીમનાં ખેલાડીઓ
 
રાઈજિંગ પૂણે સુપર જાયન્ટ્સ

બેટ્સમેનઃ અજિંક્ય રહાણે, કેવિન પીટરસન, ફૉક ડુ પ્લેસિસ, એલ્બી મૉર્કલ, સૌરભ તિવારી
ઑલરાઉન્ડરઃ સ્ટીવન સ્મિથ, મિશેલ માર્શલ, ઈરફાન પઠાણ, થિસારા પરેરા, રજત ભાટિયા, દીપક ચહર, બાબા અપરાજીત, અંકિત શર્મા.
બૉલરઃ આર. અશ્વિન, એમ. અશ્વિન, ઈશાંત શર્મા, અશોક ડિંડા, સ્કૉટ બોલૈંડ, આર.પી. સિંહ, એડમ જાંપા, ઈશ્વર પાંડે, જશકરન સિંહ.
વિકેટકિપરઃ એમએસ ધોની(કેપ્ટન), પીટર હૈંગ્સકૉમ્બ, અંકુશ બૈંસ
મુંબઈ ઇન્ડિયન્સ
બેટ્સમેનઃ રોહિત શર્મા(કેપ્ટન), અંબાતી રાયડૂ, ઉન્મુક્ત ચંદ
ઑલરાઉન્ડરઃ કોરી એંડરસન, કિરન પૉલાર્ડ, હાર્દિક પંડ્યા, કુનાલ પંડ્યા, કિશોર કામથ, દિપક પુનિયા.
બૉલરઃ હરભજનસિંહ, લસિથ મલિંગા, લેંડિસ સિમંસ, મિશેલ મૈક્લિંઘન, આર. વિનયકુમાર, નાથૂ સિંહ, ટિમ સાઉદી, જસપ્રિત બુમરાહ, અજય વાખરે, જગદીશ સુચિત, નિતીશ રાણા, શ્રેયષ ગોપાલ, સિદ્ધેશ લાડ, મર્ચંટ ડી લાંગે.
વિકેટકિપરઃ પાર્થિવ પટેલ, જોસ બટલર, જીતેશ શર્મા

Thursday, 7 April 2016

ઇમ્તિયાઝની નેક્સ્ટ મૂવીમાં ફરીથી જોવા મળશે શાહરૂખ ખાન અને અનુષ્કા શર્મા






શાહરૂખ ખાન સાથે પોતાનું કરિયર શરૂ કરનાર અનુષ્કા શર્મા ત્રીજી વાર તેની હિરોઇન બની શકે છે. ન્યૂઝ અનુસાર ઇમ્તિયાઝ અલીની હવે પછીની ફિલ્મમાં બન્ને સાથે કામ કરી શકે છે. ‘રબ ને બનાદી જોડી’ ઉપરાંત શાહરૂખ-અનુષ્કાએ ફિલ્મ ‘જબ તક હે જાન’માં સાથે કામ કર્યું હતું. બન્નેની જોડીને લોકોએ પસંદ કરી હતી.
એવું માનવામાં આવે છે કે, આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલું છે. ફિલ્મમાં શાહરૂખ ખાન એક શીખની ભૂમિકા ભજવશે. ફિલ્મના કાસ્ટિંગ વિશેની જાહેરાત કરવાની હજુ બાકી છે. આ ફિલ્મમાં એક એવા શખ્સની વાત છે, જે વિદેશથી ભારત આવે છે.

જ્યારે તે લોકોને મળે છે. ત્યારે એવી સિચ્યુએશન થાય છે જેમાંથી કોમેડી સર્જાય છે. આ કોમેડી પ્રોજેક્ટનું શૂટિંગ વર્ષના ત્રીજા કે ચોથા મહિનામાં ચાલુ થવાની શક્યતા છે. હાલ તો, શાહરૂખ અને અનુષ્કા બન્ને પોતાની ફિલ્મ્સના શૂટિંગમાં વ્યસ્ત છે.